ઇ શ્રમ કાર્ડ યોજના વિશે સંપૂર્ણ માહિતી
ઈ શ્રમ કાર્ડ યોજના અને ઈ શ્રમ કાર્ડ ના ફાયદા
ઈ શ્રમ કાર્ડ કોને મળે ?
ઇ શ્રમ કાર્ડ એવા તમામ વ્યક્તિઓ ને મળે કે જેમની ઉંમર ૧૬ થી ૫૯ વર્ષ વચ્ચેની છે .
ઈ શ્રમિક કાર્ડ યોજના કોણ ન મળે ?
જે ઇન્કમ ટેક્સ ભરતા હોય અને જે CPS / NPS / EPFO / ESIC ના સદસ્ય હોય તેમને ઇ શ્રમ કાર્ડ મળવા પાત્ર નથી
શ્રમયોગી કાર્ડ યોજના માટે કેવી રીતે રજીસ્ટ્રેશન કરી શકાય ?
શ્રમયોગી કાર્ડ યોજના રજીસ્ટ્રેશન તમારી આસપાસના કોઈ પણ CSC કે ઈ ગ્રામ કેન્દ્ર પર ઈ શ્રમિક કાર્ડ કરાવી શકાય છે . અથવા તો eshram.gov.in ઈ શ્રમ પોર્ટલ વેબસાઈટ પર જાતે પણ રજિસ્ટ્રેશન કરાવી શકાય છે .
ઈ શ્રમ યોજના રજીસ્ટ્રેશન માટે જરૂરી ડોક્યુમેન્ટ
- ફક્ત આધાર નંબર ,
- મોબાઇલ નંબર ,
- બેન્ક એકાઉન્ટ નંબર .
ઈ શ્રમ કાર્ડ યોજના ના ફાયદા ?
રૂપિયા બે લાખનો મફત વિમો .
ઈ શ્રમ વિભાગની લાગુ પડતી તમામ સરકારી યોજનાઓ નો લાભ જેવી કે , બાળકોને શિષ્યવૃતિ , સાયકલ , સિલાઈ મશીન તેમજ પોતાના કામ માટે જરૂરી ઉપકરણ વિગેરે જેવી અન્ય યોજનાઓનો લાભ મળી રહેશે .
ભવિષ્યમાં રાશનકાર્ડને આની સાથે લિંક કરવામાં આવશે જેથી દેશની કોઈપણ રાશનની દુકાનથી રાશન પણ મળી શકશે .
વાસ્તવમાં આપની આસપાસ જોવા મળતા પ્રત્યેક પ્રકારના શ્રમિકોના શ્રમયોગીઓના આ કાર્ડ બની શકે છે .
વિવિધ પ્રકારના શ્રમયોગીઓ કે , જેમના ઈ – શ્રમ કાર્ડ બની શકે છે તે નીચે મુજબ છે .
અહીં નીચે આપેલ કામ માં રોકાયેલા તમામ ને શ્રમ કાર્ડ યોજના અંતર્ગત લાભ મળશે.
- ઘરના નોકર નોકરાણી ( કામવાળી બહેનો ) ,
- રસોઈ કરવાવાળી બહેનો ( રસોઈયા ) ,
- કુલી , રિક્ષાચાલક ,
- લારીમાં કોઈપણ પ્રકારનો સામાન વેચવાવાળા ,
- ખાવાની વસ્તુને લારીમાં વેચનાર ,
- હાટડીવાળા , ચા વાળા ,
- હોટલના નોકર / વેઇટર ,
- રિસેપ્શનિસ્ટ પૂછપરછ વાળા ક્લર્ક ,
- ઓપરેટર , પ્રત્યેક દુકાનમાં કામ કરનાર / સેલ્સમેન
- / હેલ્પર , રિક્ષાચાલક , ડ્રાઇવર ,
- પંચર રીપેર કરવા વાળા ,
- બ્યુટીપાર્લરમાં કામ કરનાર ,
- મોચી , દરજી , લુહાર , વાળંદ ,
- પ્લમ્બર , ઇલેક્ટ્રિશિયન ,
- કલર કામ કરનાર ( પેઈન્ટર ) ,
- વણકર , ગૃહ ઉધ્યોગ ચલાવનારા ,
- કુટિર ઉધ્યોગમાં રોકાયેલા , ટાઇલ્સ વાળા ,
- વેલ્ડીંગ વાળા , ખેત મજૂરો , મનરેગા વર્કર ,
- MDM વર્કર , ઇંટ ભઠ્ઠાના શ્રમયોગીઓ ,
- પથ્થર તોડવા વાળા , મૂર્તિ બનાવવા વાળા ,
- માછીમાર , પશુ ચરાવનાર , ડેરીવાળા ,
- તમામ પશુપાલકો , પેપર આપવાવાળા ,
- ઝોમેટો , સ્વિગીના ડીલીવરી બોય ( કુરિયર વાળા ) ,
- એમેઝોન , ફ્લિપકાર્ટ ના ડીલીવરી બોય , નર્સ ,
- વોર્ડબોય , આયા , મંદિરના પૂજારી ,
- વિવિધ સરકારી કચેરીઓના દૈનિક વેતન શ્રમયોગી ,
- આંગણવાડી કાર્યકર્તા સહાયિકા ,
- આશાવર્કર જેવા તમામ વ્યવસાયના વ્યક્તિઓનું ઈ શ્રમ કાર્ડ યોજના દ્વારા રજીસ્ટ્રેશન થઇ શકે છે .
ઈ શ્રમ કાર્ડ ઓનલાઇન : અહીં ક્લિક કરો
ઈ શ્રમ કાર્ડ સુધારો : આપના ઇ શ્રમ કાર્ડમાં ભૂલ રહી ગયેલા હોય અથવા કાઈ પણ સુધારો વધારો કરવા ઇચ્છતા હોય તો તે માટે ની લિંક અહીં નીચે આપવામાં આવેલ છે. અહીં ક્લિક કરો
ઈ શ્રમકાર્ડ ડાઉનલોડ : અહીં આપવામાં આવેલ લિંક દ્વારા તમે પોર્ટલ ઉપર જઈને તમારું ઇ શ્રમ કાર્ડ જાતે ડાઉનલોડ કરી શકશો. તે માટે અહીં ક્લિક કરવું.