WhatsApp Group Join Now
Telegram Group Join Now

ગુજરાતના આ ગામમાં કોરોનાનો એક પણ કેસ નહીં , ગામને દર ત્રણ દિવસે કરાય છે સેનેટાઈઝ

 

વાત એક એવા ગામની કરવી છે કે જે આવેલું તો છે ધ્રાંગધ્રા તાલુકાના છેવાડામાં . આ ગામની જાગૃતિનું ઉદાહરણ આખા ધ્રાંગધ્રામાં આપવામાં આવે છે . કોરોના મહામારીમાં અનેક ગામડાઓમાં કોરોના સંક્રમણ જબરદસ્ત રીતે વધ્યું છે . ત્યારે ધ્રાંગધ્રાના સુલતાનપુર ગામમાં હાલ એક પણ કોરોનાનો કેસ નથી . અહીંના લોકોમાં શિક્ષણનો ભલે અભાવ હોય પરંતુ આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં અવલ્લ નંબરે છે .




રાજ્યમાં કોરોના બીજી લહેર અનેક લોકોના જીવ લઇ ચુકી છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા માં એક એવું ગામ છે જેમાં કોરોના કાળ શરુ થયા ત્યારથી જ માત્ર એક પોઝિટીવ કેસ નોંધાયો છે અને તે પણ અમદાવાદની ટ્રાવેલીંગ હિસ્ટ્રી ધરાવતા દર્દીઓની હોવાનું જાણવા મળ્યું છે . 

વાત એક એવા ગામની કરવી છે કે જે આવેલું તો છે ધ્રાંગધ્રા તાલુકાના છેવાડામાં . આ ગામની જાગૃતિનું ઉદાહરણ આખા ધ્રાંગધ્રામાં આપવામાં આવે છે . કોરોના મહામારીમાં અનેક ગામડાઓમાં કોરોના સંક્રમણ જબરદસ્ત રીતે વધ્યું છે . ત્યારે ધ્રાંગધ્રાના સુલતાનપુર ગામમાં હાલ એક પણ કોરોનાનો કેસ નથી . અહીંના લોકોમાં શિક્ષણનો ભલે અભાવ હોય પરંતુ આરોગ્ય પ્રત્યેની જાગૃતિમાં અવલ્લ નંબરે છે .


સુલતાનપુર ગામ બાદ કચ્છના નાના રણનો વિસ્તાર શરુ થાય છે અને હાલ અહીં સદંતર સ્વૈચ્છીક લોકડાઉન જેવો માહોલ જોવા મળે છે . પરંતુ સુલતાનપુરા ગામમાં કોરોનાનો એક પણ કેસ ન હોવા છતાં અહીંના સ્થાનિક તલાટી , સરપંચ , આચાર્ય સહિતના લોકો દર ત્રણ દિવસે સેનેટાઇઝ કરી ગામમાં કોરોના અંગે જાગૃતિ ફેલાવવામાં આવે છે . સાથે ગામની પ્રાથમિક શાળામાં ઇમરજન્સી આઇશોલેસન વોર્ડ પણ બનાવવામાં આવ્યો છે . અહીં નાના બાળકોથી માંડીને વૃધ્ધ કોઇપણ સરકારની ગાઈડલાઈનનું પાલન કરે છે . 

Read Now :  Gujarat Vanbandhu Yojana – Plug Nursery : પ્લગ નર્સરી (વનબંધુ યોજના)


આ ગામની 4 હજારની આસપાસની વસ્તી છે . મોટા ભાગના લોકો અગરિયા છે . જેઓ રણમાં મીઠાનું મજૂરી કામ કરીને પોતાનું ગુજરાના ચલાવી રહ્યા છે . નોંધનીય છે કે , ગઈકાલે રાજ્યમાં 12978 નવા કેસ નોંધાયા છે . રાહતના સમાચાર એ છે કે થોડા દિવસથી નવા કેસની સંખ્યા સ્થિર થઈ ગઈ છે . નવા કેસની સંખ્યામાં ઘટાડો થયો છે . 

રાજ્યમાં કોરોના સંક્રમણથી વધુ 152 લોકોનાં મૃત્યુ થયા છે . તેની સાથે કોરોના ( Coronavirus ) થી કુલ મૃત્યુઆંક 7508 પર પહોંચી ગયો છે .

રાજ્યમાં ગઈકાલે 11146 લોકોએ કોરોનાને મ્હાત આપી છે . તેની સાથે અત્યાર સુધી 440276 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે . રાજ્યમાં એક્ટિવ કેસ ( Active cases ) ની સંખ્યા વધીને 1 લાખ 46 હજારને પાર પહોંચી ગઈ છે . રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 146818 પર પહોંચ્યો છે . જેમાંથી 722 લોકો વેન્ટિલેટર પર અને 146096 લોકો સ્ટેબલ છે . રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 74.05 ટકા છે . ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 26 , સુરત કોર્પોરેશન -9 , મહેસાણા -2 , વડોદરા કોર્પોરેશન 11 , ભાવનગર કોર્પોરેશન 5 , રાજકોટ કોર્પોરેશ 10 , જામનગર કોર્પોરેશન -7 , સુરત 4 , જામનગર -6 , બનાસકાંઠા 3 , ભાવનગર 6 , વડોદરા 8 , ખેડા 0 , પાટણ 2 , કચ્છ 3 , મહીસાગર 1 , ગાંધીનગર 0 , આણંદ 0 , ગાંધીનગર કોર્પોરેશન 0 , જૂનાગઢ 6 , જૂનાગઢ કોર્પોરેશન 3 , સાબરકાંઠા 4 , રાજકોટ 5 , નર્મદા 1 , અમરેલી 3 , વલસાડ 1 , પંચમહાલ 2 , ગીર સોમનાથ છે , છોટા ઉદેપુર 2 , નવસારી 1 , સુરેન્દ્રનગર 7 , મોરબી 1 , તાપી 0 , અરવલ્લી 1 , દાહોદ 2 , અમદાવાદ 1 , પોરબંદર 0 , ભરૂચ 6 , દેવભૂમિ દ્વારકા 2 , બોટાદ 2 અને ડાંગ 7 મોત સાથે કુલ 153 લોકોના મોત થયા છે .

Read Now :  સ્માર્ટ હેન્ડ ટુલ કીટ યોજના : Smart Hand Tool Kit Yojana 2024


ક્યાં કેટલા કેસ નોંધાયા ? 

ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4683 , સુરત કોર્પોરેશન 1494 , મહેસાણા -565 , વડોદરા કોર્પોરેશન 523 , ભાવનગર કોર્પોરેશન 436 , રાજકોટ કોર્પોરેશન 401 , જામનગર કોર્પોરેશન -398 , સુરત 389 , જામનગર -309 , બનાસકાંઠા 226 , ભાવનગર 222 , વડોદરા 212 , ખેડા 174 , પાટણ 173 , કચ્છ 169 , મહીસાગર 169 , ગાંધીનગર 162 , આણંદ 161 , ગાંધીનગર કોર્પોરેશન 153 , જૂનાગઢ 147 , જૂનાગઢ કોર્પોરેશન 146 , સાબરકાંઠા 142 , રાજકોટ 127 , નર્મદા 121 , અમરેલી 119 , વલસાડ 117 , પંચમહાલ 109 , ગીર સોમનાથ 104 , છોટા ઉદેપુર 97 , નવસારી 97 , સુરેન્દ્રનગર 92 , મોરબી 90 , તાપી 89 , અરવલ્લી 80 , દાહોદ 67 , અમદાવાદ 61 , પોરબંદર 53 , ભરૂચ 44 , દેવભૂમિ દ્વારકા 30 , બોટાદ 27 અને ડાંગમાં એક પણ કેસ ન નોંધાતા કુલ 12978 કેસ રાજ્યમાં નોંધાયા છે . ગઈકાલે અમદાવાદ કોર્પોરેશનમાં 4980 , સુરત કોર્પોરેશન -1795 , રાજકોટ કોર્પોરેશ 605 , વડોદરા કોર્પોરેશન -547 , મહેસાણા -517 , ભાવનગર કોર્પોરેશન 410 , સુરત 393 , જામનગર કોર્પોરેશન- 390 , જામનગર -353 , વડોદરા 236 , બનાસકાંઠા 198 , ખેડા 196 , પાટણ 169 , નવસારી 164 , ભાવનગર 163 , કચ્છ

Read Now :  ફોરેસ્ટ ગાર્ડ 436 પેજ બુક ડાઉનલોડ

કેટલા લોકોએ લીધી રસી 

વેક્સિનેસન ( vaccinations ) કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 98,73,963 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 25,57,405 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે . આમ કુલ 1,24,31,368 લોકોને રસીકરણના ડોઝ આપવામાં આવ્યા છે .

https://www.ndbhaliya.online/feeds/posts/default

Leave a Comment