ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના
ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્નસહાય યોજનાનો હેતુ
હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિની વ્યક્તિ અને હિન્દુ ધર્મની અનુસૂચિત જાતિ સિવાયની અન્ય જાતિની વ્યક્તિઓ વચ્ચેનાં લગ્ન દ્વારા અસ્પૃશ્યતા દુર કરી સામાજીક સમરતા લાવવાનાં ભાગરૂપે ડૉ.સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજના અમલમાં મુકેલ છે . જેમાં રૂ . ૫૦,૦૦૦ / પતિ – પત્નીના સંયુક્ત નામે નાની બચતના પ્રમાણપત્રો અને ૩.૫૦,૦૦૦ / – ઘરવખરી ખરીદવા સહાય આપવામાં આવે છે .
ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય યોજનાનાં નિયમો અને શરતો
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર યુગલ પૈકી કોઈ એક વ્યકિત ગુજરાતના મુળ વતની હોવા જોઇએ .
આવા લગ્નની નોંધણી કરાવવાની રહેશે અને લગ્ન કર્યા બાદ બે વર્ષની અંદર આ યોજના માટે સહાય મેળવવા અરજી કરવાની રહેશે .
આંતરજ્ઞાતિય લગ્ન કરનાર પર પ્રાંતની વ્યકિતના મા – બાપ ગુજરાત રાજ્યમાં વસવાટ કરતા હોવા જોઈએ .
અનુસૂચિત જાતિ સિવાયની બીજી વ્યકિત પરપ્રાંતની હોયતો તેણે જે તે પ્રાંત કે રાજ્યમાં તે અસ્પૃશ્ય ગણાતી નથી અને હિન્દુ ધર્મ પાળે છે તે બાબતનું પ્રમાણપત્ર આપવાનું રહેશે .
અને લગ્ન કર્યા પછી આ વ્યક્તિએ ગુજરાતમાં વસવાટ કરવાનો રહેશે .
૩૫ વર્ષની ઉંમર સુધીના વિધુર કે વિધવા કે જે ને બાળકો ન હોય તેવી વ્યકિત જો પુન : લગ્ન કરે તો આ યોજના હેઠળ સણય મેળવવાપાત્ર થશે .
કોઇ આવક મર્યાદા નથી .
ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય રજુ કરવાના પુરાવાઓ
- અરજદારે છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ ( લગ્ન સમયે અરજદાર પરણિત ણેય તો )
- મરણનો દાખલો ( લગ્ન સમયે અરજદાર વિધુર / વિધવા હોય તો )
- યુવક / યુવતીએ છૂટાછેડા ક્યારે લીધા તે અંગેના દસ્તાવેજ ( લગ્ન સમયે યુવક / યુવતી પરણિત હોય તો )
- મરણનો દાખલો ( લગ્ન સમયે યુવક / યુવતી વિધુર / વિધવા હોય તો )
- અરજદારનું આધારકાર્ડ
- અરજદારની જાતિનું પ્રમાણ પત્ર
- અરજદારનો શાળા છોડયાનો દાખલો
- યુવક / યુવતીનું જાતિનું પ્રમાણ પત્ર
- યુવક / યુવતીનો શાળા છોડયાનો દાખલો
- રહેઠાણનો પુરાવો ( વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર ચુંટણી કાર્ડ / રેશનકાર્ડ પૈકી કોઈ પણ એક )
- લગ્ન નોંધણી નું પ્રમાણ પત્ર
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક
ડૉ . સવિતાબેન આંબેડકર આંતરજ્ઞાતિય લગ્ન સહાય અરજદારના નામનું ફોર્મ ક્યાં મળશે અને અરજી ક્યાં કરવી ?
આ સેવાનો લાભ હવે ઓનલાઈન સમાજ કલ્યાણ ની વેબસાઈટ પરથી મેળવી શકો છો . જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે .
ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી આપના તાલુકા / જીલ્લા માં જેમને સત્તા આપેલ ણેય ત્યાં જઇ તપાસ કરાવવાના રહેશે .
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx
https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/ICMApplicantDetails.pdf