ડો આંબેડકર આવાસ યોજના
ડો આંબેડકર આવાસ યોજનાનો હેતુ
અનુસૂચિત જાતિના ઘરવિહોણા , ખુલ્લો પ્લોટ ધરાવતા , રહેવાલાયક ન હોય તેવું કાચુ ગાર માટીનું તથા પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે . ૧,૨૦,000 ત્રણ હપ્તામાં ચુકવાવમાં આવે છે .૨.૧,૨૦,૦૦૦ સણય પૈકી પ્રથમ હપ્તો- ૪૦,000 , બીજો હપ્તો- 50,000 અને ત્રીજો હપ્તો -૨૨૦,૦૦૦ / આપવામાં આવે છે . •
ડો આંબેડકર આવાસ યોજનાના નિયમો અને શરતો
લાભાર્થી દ્વારા અથવા લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા અમલિત અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોવો જોઈએ .
ડૉ.આંબેડકર આવાસ યોજના હેઠળ મળેલ સહાયથી મકાનનું સંપૂર્ણ બાંધકામ પૂર્ણ થાય નહીં તેથી બાકીની રકમ લાભાર્થીને પોતે ઉમેરીને મકાન બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે .
ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ૨૧,૨૦,૦૦૦ અને શહેરી વિસ્તારમાં વાર્ષિક આવક ૧,૫૦,૦૦૦ થી વધુ ન હોવી જોઇએ
આવાસ સહાય ઉપરાંત ગ્રામ્ય વિસ્તારમાં મહાત્મા ગાંધી નરેગા ( MGNREGA ) યોજના હેઠળ આવાસ બાંધકામ માટે ૯૦ દિવસની બિનકુશળ રોજગારી માટે ર ૧૬,૯૨૦ તે યોજનાના નિયમો મુજબ તાલુકા પંચાયતની નરેગા બ્રાંચ તરફથી મેળવી શકાશે .
સ્વચ્છ ભારત મિશન હેઠળ શૌચાલય માટે ૨.૧૨,000 / -ની સાયગ્રામ્ય વિસ્તારમાં તાલુકા પંચાયતની અને શહેરી વિસ્તારમાં નગરપાલીકા / મહાનગરપાલિકા તરફથી મેળવી શકાશે .
ડો આંબેકટર આવાસ યોજના રજુ કરવાના ડોક્યુમેન્ટ
- અરજદારનું આધાર કાર્ડ
- અરજદારનું રેશનકાર્ડ
- અરજદારની જાતિ / પેટા જાતિ નો દાખલો
- અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
- રહેઠાણનો પુરાવો ( વીજળી બિલ / લાઇસન્સ / ભાડાકરાર / ચુંટણી કાર્ડ , રેશનકાર્ડ પૈકી કોઇ પણ એક )
- જમીન માલિકીનું આધાર / દસ્તાવેજ / અકારની પત્રક / હક પત્રક / સનદ પત્રક ( જે લાગુ પડતું હોય તે )
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક ( અરજદારના નામ )
- પતિના મરણ નો દાખલો ( જો વિધવા હોય તો )
- જે જમીન ઉપર મકાન બાંધવાનું છે , તે જમીન ના ક્ષેત્રફળ જણાવતા ચતુર્દિશા દર્શાવતા નકશા ની નકલ ( તલાટી – કમ – મંત્રીશ્રી ) ની સહીવાળી
- ચૂંટણી ઓળખપત્ર
- મકાન બાંધકામ ચિઠ્ઠી
- અગાઉ આ યોજનામાં લાભ લીધો નથી તે અંગેનું સોગંધનામું
ડો આંબેડકર આવાસ યોજના ફોર્મ ક્યાં મળશે
આ સેવાનો લાભ હવે ઓનલાઇન સમાજ કલ્યાણ ની વેબસાઇટ પરથી મેળવી શકો છો . જે નીચે દર્શાવેલ લિંક ધ્વારા મળી શકશે .
ઓનલાઈન ફોર્મ ભર્યાબાદ ફોર્મ ની કોપી અને પુરાવાઓ વેરીફીકેશન માટે જીલ્લા અનુસુચિત જાતિ કલ્યાણ પ્રભાગ અધિકારી કચેરી ( આપના તાલુકા / જીલ્લા માં જેમને સત્તા આપેલ હોય ત્યાં જઈ તપાસ કરાવવાના રહેશે .
ડો આંબેડકર આવાસ યોજના ઓનલાઈન અરજી
https://esamajkalyan.gujarat.gov.in/index.aspx https://esamajkalyan.gujarat.gov.in/ApplicationForm/SJEDSC/AAY ViewApplicant Details.pdf